લોકસાહિત્ય

 ત્રણ સાચી  વાતો છે.

દેવ, દરિયો, ને દાતાર.એ ત્રણ વિના ધન નહિં.

આધિ, વ્યાધિ, ને ઉપાધિ.એ ત્રણ વિના દુઃખ નહિં.

જ્ઞાન, ભક્તિ, ને વૈરાગ્ય.એ ત્રણ વિના ધર્મ નહિં.

ઉત્પત્તિ, સ્થિતિ, ને પ્રલય.એ ત્રણ વિના જગતનાં ખેલ નહિં.

શિંગ, સરિયો, ને પોપટો.એ ત્રણ વિના ધાન્ય નહિં.

વા, ઘા, ને ઘસરકો.એ ત્રણ વિના સંગીત નહિં.

ધાર, અણી, ને ધબાકો.એ ત્રણ વિના હથિયાર નહિં.

ચાવવું , ચૂસવું, ને સબડકો.એ ત્રણ વિના ભોજન નહિં.

વ્યસન, આળસ, અભીમાન.એ ત્રણ જીવનમા સારાં નહિં.

શ્રવણ, મનન, અભ્યાસ.એ ત્રણ વિના વિદ્યા નહિં.

જૂઠ, કરજ,ને કપટ.એ ત્રણ વિના દુઃખ નહિં.

વાત, પિત્ત, ને કફ.એ ત્રણ વિના રોગ નહિં.

ઇંગલા, પિંગલા, ને સુક્ષમણા.એ ત્રણ વિના નાડી નહિ.

સ્વપ્ન, ચિત્ર, ને સાક્ષાત.એ ત્રણ વિના દર્શન નહિં.

રજો, તમો અને સત્વો.એ ત્રણ વિના ગુણ નહિં.

ભુત, ભવિષ્ય, ને વર્તમાન.એ ત્રણ વિના કાળ નહિ.

સંચિત, ક્રિયમાણ, ને પ્રારબ્ધ.એ ત્રણ વિના ક્રિયા નહિં.

સંયમ, સંતોષ, ને સાદાય.એ ત્રણ વિના સુખ નહિં.

જર, જોરૂ, ને જમીન,એ ત્રણ વિના કજીયો નહિં.

વાંચવું, લખવું, ને શીખવું.એ ત્રણ વિના બુદ્ધિનાં હથિયાર નહિં.

પૂછવું, જોવું, ને દવા દેવી.એ ત્રણ વિના વૈદું નહિં.

ક્રૂરતા, કૃપર્ણતા, ને કૃતઘ્નતા.એ ત્રણ વિના મોટું કષ્ટ નહિં.

વિદ્યા, કળા, ને ધન.એ ત્રણ સ્વેદ વિના મળે નહિં.

દુઃખ, દરિદ્રતા, ને પરઘેર રહેવું.એ ત્રણ વિના મોટું દુઃખ નહિં.

પાન, પટેલ, ને પ્રધાન.ત્રણ કાચાં સારાં નહિં.

વૈદ, વેશ્યા, ને વકીલ.એ ત્રણ વિના રોકડિયા નહિં.

ઘંટી, ઘાણી, ને ઉઘરાણી.એ ત્રણ ફેરા ખાધાં વિના પાકે નહિં.

દુર્ગુણ, સદગુણ, ને વખત.એ ત્રણ સ્થિર રહેવાનાં નહિં.

વિદ્યા, હોશિયારી, ને અક્કલ.એ ત્રણ આળસું પાસે જાય નહિં.

વટ, વચન, ને વિવેક.એ ત્રણ વિના શુરવિર નહિં.

નોર, ખરી, ને ડાબલા.એ ત્રણ વિના પશું નહિં.


No comments:

Post a Comment